વડગામમાં તાબા સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
જંબુસર તાલુકાના વડગામે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ રાકેશજી પ્રસાદજી મહારાજના રૂડા આશિષ અને કર કમળો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો અને મહારાજ શ્રી એ આરતી ઉતારી હતી. મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જંબુસર તાલુકાના વડગામના ડોસાભાઇ ગઢવી અને બને સંગજી ગઢવી તેમની પત્નીઓ સાથે વિક્રમ સંવાદ 1911 ની સાલમાં સત્સંગી જીવન ગ્રંથની સત્સંગ છાવણી વખતે વડતાલમાં રોકાયા હતા. અને સંતો મહંતોના ઉપદેશો સાંભળી આ ભક્તોનું જે ગામ ગરાસ હતું. તે જીવતા સુધી રાખીશું પછી શ્રી લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. અને વડગામે પરત ફર્યા હતા.
ત્યારબાદ થોડા સમય પછી બંને ભક્તો અક્ષરધામ સિધાવ્યા હતા. અને તેમની પત્નીઓ મોજબા અને બાઇ બા પતિના સંકલ્પ પૂર્ણ કરવા ગરાસની આવક આવે તેમાંથી ગુજરાત ચલાવે અને વધે તે દેવને અર્થે વાપરે વિક્રમ સંવત 1919 માં વડતાલમાં મોજબા એ ઠાકોરજીનો તુલસી વિવાહ કરાવ્યો ત્યારે ગરાસ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કર્યો હતો. અને 1950 માં મોજબા, બાઈબા એ દેહ ત્યાગ કરી ધામમાં ગયા અને આચાર્ય વિહારી લાલ મહારાજે વસો ગામના ગોવિંદ પટેલને વડગામના ગરાસની જવાબદારી સોંપી હતી.